Skip to main content

Posts

Showing posts from April, 2022

પ્રશાંત દયાળ "દાદા" સાથે.....💐💐

નામ એમનું પ્રશાંત દયાળ. આ નામથી ગુજરાત પત્રકારત્વ આલમમાં ભાગ્યેજ કોઇક અજાણ્યું હશે.  જી હા, ક્રાઇમ રિર્પોટિંગ માં જેમનો જોટો જડવો મુશ્કેલ છે એવાં પ્રશાંત દયાળ જેમને પરિચિતો ને મિત્ર વર્તુળમાં બધાં "દાદા" નાં હુલામણા નામથી ઓળખે છે.  એવું વ્યક્તિત્વ જેનાં મોંઢા પર સદાય સ્મિત રમતું રહેતું હોય, જેમનો આગવો સ્વભાવ જોઇએ તો ફક્કડ ને તડફડ. ખુશમિજાજી અને અલ્લડ પણ ખરાં જ. ઇન્વેસ્ટીગેટીવ પત્રકારત્વ જેમાં ઘણી ખણખોદ, રખડપટ્ટી ને અંતે જે સમાચાર બને એમાં જ એમને મજા આવે. મૂળ પત્રકાર પણ કામ જોવા જઇએ તો વિજ્ઞાન જેવું કે જે અંત એટલે કે વાતનાં મૂળ સુધી પહોંચીને જ રહે. પત્રકાર તરીકે જેમણે બોલપેન ને ડાયરી ને સદાય અળગી રાખી ને તો પણ હાલ એમનાં જેવું કામ ખાસ કોઇ નથી કરી શકતું. જ્યારથી પત્રકારત્વનો અભ્યાસ ચાલું કર્યો ત્યારથી બધાં વિદ્યાર્થીઓનાં મોંઢે થી સાંભળતો કે મારે આ બીટ જોઇએ, પેલી બીટ જોઇએ અને એનાં માટે બીટ સ્પેશિયાલિસ્ટ અનુભવી પત્રકારો પણ બીટ પ્રમાણે વિદ્યાર્થીઓનાં આદર્શ રહેતા હોય છે મતલબ કે એમનાં જેવી રીતે રિર્પોટિંગ કરવું, લખવું વગેરે. પણ વાત જ્યારે ક્રાઇમ બીટ ની આવે ત્યારે બધાંના મ...

સુગંધનો રંગ ને વિતાનનું સ્મરણ.....!!!!!!

પુસ્તક - સુગંધનો રંગ લેખક - પ્રિયકાન્ત પરીખ પ્રકાશક - નવભારત સાહિત્ય મંદિર પ્રિયકાન્ત પરીખ એવાં લેખક કે જેમની લેખનશૈલી અને સચોટતા જોઇને,‌ જાણીને બીજાં ઘણાંય લેખક એવીજ લેખનશૈલી ને સચોટતા લેખનમાં જળવાય એવુંજ ઈચ્છતા હોય છે. સુગંધનો રંગ પુસ્તક વિશે- લાઇબ્રેરીમાં સાહિત્ય વિભાગમાં અમસ્તાં જ ફરતાં નજર જ્યારે આ પુસ્તક પર પડી તો થયું લાવ ! વાંચી લઇએ. વાંચનખંડમાં આવીને પ્રથમ પ્રકરણ વાંચ્યું પછી રસથી વાંચતો જ ગયો એક પછી એક પ્રકરણ.  પ્રત્યેક પ્રકરણ સમાજને કંઇક કહેવા સમજાવા માંગતું હોય એવી લાગણીથી મિશ્રિત, સતત અર્થસભરતા જળવાઇ રહે એવું છે. આ પુસ્તકમાં ખાસ‌ વાત કે જ્યારે એક પછી એક પ્રકરણ વાંચતો ગયો એમ એમ હજું એક હજું એક પ્રકરણ વાંચી લઉં એવું થયા કરે ને એટલે જ્યારે આખરનાં ત્રણ પ્રકરણ બાકી હતાં ને એમાં જ્યારે એક પ્રકરણ એવું પણ હતું, જેમાં આખું પ્રકરણ વિતાન નામનાં પાત્ર પર કેન્દ્રિત હતું, હું જ્યારથી સમજણો થયો ત્યારથી લઇ આજ સુધીમાં મે મારું નામ જોયું હોય કે સાંભળ્યું હોય જીવનનો સૌપ્રથમ કિસ્સો જે આજે આ પુસ્તક વાંચતા થયો. મારું નામ પણ મારા પપ્પાએ આવીજ કોઇ નવલકથા વાંચતા તેમાંથી જોઇને...

સર્જકવંદના કાર્યક્રમ નવજીવન ટ્રસ્ટ ખાતે..

        ડાબેથી (વાર્તાકાર, નાટ્યકાર, નિબંધકાર)                       મહેન્દ્રસિંહ પરમાર કાર્યક્રમ વિશે :- નવજીવન ટ્રસ્ટ કેમ્પસ ખાતે આજરોજ સર્જકવંદના (ઝવેરચંદ મેઘાણીની ભ્રમણકથાઓ) યોજાઇ હતી. જેનાં વક્તા મહેન્દ્રસિંહ પરમાર (વાર્તાકાર, નાટ્યકાર, નિબંધકાર) દ્વારા જાણીતા મેઘાણીની અજાણી વાતોની ગોષ્ઠી કરી હતી, મેઘાણીની વાર્તાઓની બ્લુ-પ્રિંટ વિશે પણ જાણવા મળ્યું તથા સાહિત્યિક સ્થળો વિશે જાણીને ફરવા જવું જોઇએ એવું સૂચન વક્તા દ્વારા કરવામાં આવ્યું હતું જે ખરેખર સમજવાલાયક અને ફરવા જવુંજ જોઇએ એવું હતું. નવજીવન ટ્રસ્ટ કેમ્પસનો આભાર આમંત્રણ બદલ.. છબી :- વિતાન પરમાર

વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે શુભેચ્છા

" પુસ્તક પુસ્તક ઓછું અને લાગણી વધારે હોય છે. એનાંથી વિશેષ કોઇ વાત ના હોય શકે પુસ્તક માટે. "                     " હંમેશા ગમતી જગ્યા "          ગૂજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી, અમદાવાદ                      છબી- વિતાન પરમાર

at Media House

                  With Classmates..                         Me with WE..

સંજેલીની યાદગાર યાદો.....

                              પ્રયાણ...                                 ચર્ચા....                      શુદ્ધ, સાત્વિક ભોજન....                          વાહ ! સ્વાદ....                            રાત્રિ ચર્ચા....                 બિહારનાં ગધ્ધા લીંબુ....       (ગ્રામશિલ્પી રમણભાઇ સંગાડાનાં ખેતરમાં)                 ભણવાં સાથે થોડીક ગોષ્ઠી                       શિસ્ત...કતારબધ્ધ     ...

at Gujarat Vidyapith

         ગૂજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી, અમદાવાદ                    છબી - વિતાન પરમાર

અર્થપૂર્ણ‌ - અત્તરની સુગંધ

               પુસ્તક - અત્તરની સુગંધ                  લેખક - દેવેન્દ્ર પટેલ          પ્રકાશક - નવભારત સાહિત્ય મંદિર અત્તરની સુગંધ આ પુસ્તક વિશે એટલું જરુર કહેવા માંગીશ કે  આ પુસ્તક વાંચીએ એટલે તત્ક્ષણ હરેક શ્રેણી કથાના અંતે કોઇ ને કોઇ 'મેસેજ' આપે છે, અને માટે જ તે અર્થપૂર્ણ બને છે પછી કથા ભલેને પ્રયણભગ્ન યુવતીની હોય કે લોહીથી ખેલાયેલા ખૂની ખેલની હોય. ગાંધીજીએ કહ્યું છે કે " કોસિયાને પણ સમજાય તેવી ભાષામાં લખો. "  આ વાત આ પુસ્તકમાં પણ છતી થાય છે, સરળ અને સમજાય એવા શબ્દોથી બનેલી આ શ્રેણી જરૂર વાંચવાલાયક છે. - વિતાન પરમાર

ડૉ. કાર્તિકેય વિક્રમ સારાભાઇ સાથે મુલાકાત

શાંતિ સંશોધન કેન્દ્ર ગૂજરાત વિદ્યાપીઠ, ભારતીય વસ્તી શિક્ષણ‌ સંઘ અને ભારતીય સમુદાય શિક્ષણ સંઘનાં સંયુક્ત ઉપક્રમે  વિષય જીવનશૈલી અને પર્યાવરણ સમસ્યા સંદર્ભે વ્યાખ્યાન યોજાયું હતું. જેના વ્યાખ્યાતા ડૉ. કાર્તિકેય વિક્રમ સારાભાઇ હતા. કાર્તિકેય વિક્રમ સારાભાઈ વિશ્વના અગ્રણી પર્યાવરણીય શિક્ષકોમાંના એક અને સમર્પિત સમુદાય નિર્માતા છે.  તેમણે પર્યાવરણ સમસ્યા સંદર્ભે વિસ્તૃત જાણકારી આપી હતી અને એના નિવારણ માટેનાં ઉપાયો ઉપર પણ માહિતગાર કર્યા હતા. તેમને 2012માં ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.

Morning at Riverfront

                              नया दिन                                                  नई शुरुआत                                       और ! चाई                       छबी - वितान परमार

किताब है पारीजात ! कभी कभी पढ़ लों ।

પુસ્તક- પારીજાત લેખક- દેવેન્દ્ર પટેલ પ્રકાશક- નવભારત સાહિત્ય મંદિર વાત છે પારીજાત પુસ્તકની જે 'કભી કભી' શ્રેણીની સત્યઘટનાઓની કટાર રહી છે. અહીં વાત એમ છે કે કેટલીક વાર સત્યઘટનાઓ કાલ્પનિક વાતો કરતાં પણ વધુ વિચિત્ર હોય છે. કોઈક કદી એમ પણ વિચારે કે શું આમ હોઇ શકે? હવે મુળ પુસ્તકની વાત એવી છે કે 'ગુજરાત સમાચાર' માં પ્રગટ થયેલી "કભી કભી" દેવેન્દ્ર પટેલ લિખિત કટારની પસંદગીની શૃંખલાઓ પુસ્તકરૂપે પ્રગટ થયેલી છે અને વાંચવાની ઈચ્છા પુર્ણ થઇ એનો આનંદ. પ્રથમ શ્રેણીથી જેમ જેમ આગળ વાંચતા જઇએ તેમ તેમ રહસ્ય, રોમાંચ અને હવે શું થશેની મિશ્રિત લાગણીઓ એકસામટાં પુરની માફક મગજ પર દોડવા લાગે છે. ઓછાવત્તા અંશે સાંભળવા કે જોવા મળતી કહાની જે સ્પષ્ટ અને સરળ શૈલીથી લખાઇ છે તે માટે લેખકને દાદ દેવી પડે. ચોરી, હત્યા, લૂંટ વિથ મર્ડર, હતાશા, ચમક દમક, ક્રાઇમ સિન્ડિકેટ્સ, પ્રેમ પ્રપંચ અને સંબંધોને લજવે એવી સામાજિક ઘટનાઓને ભીંજવી દેતી શૈલીથી આલેખાયેલી આ પુસ્તક એકવાર વાંચવા બેસો એટલે પતાવે જ છુટકો. ગંભીર ઘટનાઓ પણ લેખનશૈલી સરળ અને સાદગીથી આ પુસ્તક વધારે રસિક અને વાંચવાલાયક બનાવે છે. પારી...

चांद देखा हे ! चांदखेडा़ में।

                          मेरा चांद मुझे आया है नजर  ।

લલિત લાડ ઉર્ફે મનુ શેખચલ્લી સાથે મુલાકાત

લેખન શિબિર, નવજીવન ટ્રસ્ટ અમદાવાદ ખાતે સ્ટોરી લેખનનો ખાસ વર્ગ રાખવામાં આવ્યો હતો. જેમાં જાણીતા લેખક, કોલમનિસ્ટ અને આમ‌ મોજ પડી જાય એવી હ્યુમર લખનારા લલિત લાડ ઉર્ફે મનુ શેખચલ્લીનાં લેખન સાહિત્ય અને એમનાં અનુભવોને માણવાનો જાણવાનો એક અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો, લલિત લાડ એટલે સેન્સ ઓફ હ્યુમરથી છલોછલ ભરેલ વ્યક્તિત્વ અને સટિક ચાબખાં એવા મારે કે સામાન્ય રીતે થોડીવાર રહી સમજાય. પુસ્તક હોય કે ફિલ્મ એમનું અધ્યયન બહુંજ ગજબ‌ પ્રકારનું. આવી લેખન શિબિરમાં બહુ શિખવાનું મલ્યું ને એમના અનુભવોથી પત્રકારત્વમાં સમાચારનું મૂલ્ય અને રસિકતા શીખવા મળી. આભાર સર 💐

શિશિર રામાવત સાથે મુલાકાત

  માઇક્રોસોફ્ટ કંપનીમાં ગુજરાતી ભાષા નિષ્ણાત.    પત્રકાર, કોલમનિસ્ટ, નવલકથાકાર, નાટ્યલેખક,      અનુવાદક અને બ્લોગર એવાં શિશિર રામાવત સાથે  નવજીવન ટ્રસ્ટ કૅમ્પસ ખાતે મુલાકાત.  શિશિર રામાવત વિકિપિડીયાના ગુજરાતી પૃષ્ઠો સંખ્યા તેમજ ગુણવત્તાની દષ્ટિએ વધુને વધુ સમૃદ્ધ તેમજ વૈવિધ્યપૂર્ણ બને તે માટે યોગદાન આપી રહ્યા છે.  તેમણે માઇક્રોસોફ્ટ સંબંધિત ઘણાં વિકિ પૃષ્ઠોનું સર્જન કર્યું છે. વિકિપિડીયાનાં ગુજરાતી પૃષ્ઠો ભાષા અને વ્યાકરણની દષ્ટિએ ઉત્તરોત્તર સ્વચ્છ તેમજ આકર્ષક બનતાં જાય તે દિશામાં તેમણે કામ ચાલું રાખ્યું છે. ઘણી કોલમો, નવલકથા, નાટ્યલેખો તેમણે લખી છે. આવાં સ્વભાવે સરળ અને મિલનસાર શિશિર રામાવત સાથેની મુલાકાત આનંદદાયક રહી આભાર 💐

વર્ષા અડાલજા સાથે મુલાકાત

ગતરોજ નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, અમદાવાદ ખાતે  સુપ્રસિધ્ધ નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર એવાં શ્રી વર્ષા અડાલજા લિખિત આત્મકથા 'પગલું માંડું હું અવકાશમાં' ના લોકાર્પણ સંદર્ભે જવાનું થયું જ્યાં મારી કેફિયત અંતર્ગત વર્ષા અડાલજાનાં મુખેથી એમની આત્મકથા કમ જીવનનાં સંસ્મરણો સાંભળવાનો અનેરો મોકો પ્રાપ્ત થયો,  એમના મુખેથી એમની કેફિયત સાંભળીને ઘણી લાગણીઓ એકસાથે ઉમટી પડી હતી,  એમાંની એક રોમાંચક લાગણી એ હતી કે પ્રખ્યાત લેખક શ્રી ગુણવંત આચાર્ય તેમના પિતાશ્રી હતા અને બીજી લાગણી એ હતી કે આજ ના દિવસે એમની આત્મકથા ના લોકાર્પણ દિવસે જ એમનો જન્મદિવસ પણ હતો. આવા પ્રસિધ્ધ વ્યકિત્વ છતાં સરળતાથી ભારોભાર ભરેલા સ્વભાવનાં માલિકણ એવાં વર્ષાજી ને જન્મદિવસની મબલખ શુભેચ્છા 💐 આપને મળવાનો લ્હાવો પ્રાપ્ત થયો એના માટે આનંદ આભાર.