Skip to main content

લલિત લાડ ઉર્ફે મનુ શેખચલ્લી સાથે મુલાકાત



લેખન શિબિર, નવજીવન ટ્રસ્ટ અમદાવાદ ખાતે સ્ટોરી લેખનનો ખાસ વર્ગ રાખવામાં આવ્યો હતો.
જેમાં જાણીતા લેખક, કોલમનિસ્ટ અને આમ‌ મોજ પડી જાય એવી હ્યુમર લખનારા લલિત લાડ ઉર્ફે મનુ શેખચલ્લીનાં લેખન સાહિત્ય અને એમનાં અનુભવોને માણવાનો જાણવાનો એક અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો, લલિત લાડ એટલે સેન્સ ઓફ હ્યુમરથી છલોછલ ભરેલ વ્યક્તિત્વ અને સટિક ચાબખાં એવા મારે કે સામાન્ય રીતે થોડીવાર રહી સમજાય.
પુસ્તક હોય કે ફિલ્મ એમનું અધ્યયન બહુંજ ગજબ‌ પ્રકારનું.
આવી લેખન શિબિરમાં બહુ શિખવાનું મલ્યું ને એમના અનુભવોથી પત્રકારત્વમાં સમાચારનું મૂલ્ય અને રસિકતા શીખવા મળી.
આભાર સર 💐