Skip to main content

કવિ, વિવેચક - દલપત પઢિયાર


ગુજરાતી ભાષાના જાણીતા કવિ, વિવેચક શ્રી દલપત પઢિયાર સ્થળ નવજીવન ટ્રસ્ટ કૅમ્પસ ખાતે કાવ્યગોષ્ઠી કાર્યક્રમ યોજાઇ ગયો,
જેમાં તેમના સંસ્મરણો, કાવ્ય રચનાઓ તથા સાહિત્યીક સફરની વાતો તેમના જ મુખેથી સાંભળીને આનંદ થયો.
ખાસ વાત પ્રાથમિક શિક્ષણમાં એક પાઠ આવતો જે વિદ્યાર્થીઓમાં અતિ પ્રખ્યાત હતો એ "છોગાળા તો છોડો" જે એમના મુખેથી સાંભળીને ખરેખર વિસ્મયતા પામી કે આ વાત અત્યાર સુધી અજાણ હતી મારા માટે, અલબત્ત એજ લેખકનાં મોંઢેથી સાંભળીને મારો તો કાર્યક્રમ સફળ થઇ ગયો.
અવારનવાર આવા કાર્યક્રમો ગોઠવતા નવજીવન ટ્રસ્ટના આભાર સાથે વિરમું છું.

-વિતાન પરમાર 

Popular posts from this blog

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 💐

                 ફોટો સૌજન્ય - રણમલ સિંધવ ૨૪, ઓગસ્ટ ૨૦૨૨ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કવિવર નર્મદની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતી ભાષાની આન, બાન અને શાન રૂપે ઉજવાય છે. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કવિ નર્મદે 'મારી હકીકત' લખી હતી. કવિ નર્મદને ગુજરાતી સાહિત્યમાં 'અર્વાચીનોમાં આદ્ય' તરીકે ઓળખવામાં આવે છે. મારા ગુજરાતી ભાષા અંગેના મત.... આજના સમયમાં ગુજરાતી ભાષાના મહત્વ અંગે જાત જાત ના લેખો જોવા મળે છે, ગુજરાતી ભાષાને અંગ્રેજી ભાષા કરતા ઓછું મહત્વ આપવામાં આવે છે પણ ભાષા કોઇ પણ હોય એનું અનેરુ મહત્વ હોય જ છે બસ સમજવાની જરૂર છે કે આપણે બધીજ ભાષાઓને સમાન મહત્વ આપવું ઘટે. વાત કરું ગુજરાતી ભાષાની તો મારી સૌથી ગમતી અને પ્રિય ભાષામાં ગુજરાતી છે, મને ક્યારેય એવું થયું નથી કે હું અંગ્રેજી શીખું કેમ કે મારે તો હજું ગુજરાતી ભાષાને સૌથી નજીકથી જોવાની ભણવાની પણ બાકી છે. મારી બોલી ગુજરાતી છે બાર ગાઉ બોલી બદલાય એમ ગુજરાતમાં પ્રદેશ બદલાય એમ ગુજરાતી ભાષાની બોલવાની ઢબ પણ બદલાય છે. હું સાબરકાંઠાથી આવું છું તો ત્યાંની બોલી તરત જ ઓળખાય જાય ક્યાંક ગયા હોઇએ ને ક...

at Media House

                  With Classmates..                         Me with WE..

સાહિત્ય જલસો

                            મારો વાંચનપ્રેમ