Skip to main content

પ્રશાંત દયાળ "દાદા" સાથે.....💐💐




નામ એમનું પ્રશાંત દયાળ. આ નામથી ગુજરાત પત્રકારત્વ આલમમાં ભાગ્યેજ કોઇક અજાણ્યું હશે. 
જી હા, ક્રાઇમ રિર્પોટિંગ માં જેમનો જોટો જડવો મુશ્કેલ છે એવાં પ્રશાંત દયાળ જેમને પરિચિતો ને મિત્ર વર્તુળમાં બધાં "દાદા" નાં હુલામણા નામથી ઓળખે છે. 
એવું વ્યક્તિત્વ જેનાં મોંઢા પર સદાય સ્મિત રમતું રહેતું હોય, જેમનો આગવો સ્વભાવ જોઇએ તો ફક્કડ ને તડફડ.

ખુશમિજાજી અને અલ્લડ પણ ખરાં જ. ઇન્વેસ્ટીગેટીવ પત્રકારત્વ જેમાં ઘણી ખણખોદ, રખડપટ્ટી ને અંતે જે સમાચાર બને એમાં જ એમને મજા આવે. મૂળ પત્રકાર પણ કામ જોવા જઇએ તો વિજ્ઞાન જેવું કે જે અંત એટલે કે વાતનાં મૂળ સુધી પહોંચીને જ રહે.
પત્રકાર તરીકે જેમણે બોલપેન ને ડાયરી ને સદાય અળગી રાખી ને તો પણ હાલ એમનાં જેવું કામ ખાસ કોઇ નથી કરી શકતું.

જ્યારથી પત્રકારત્વનો અભ્યાસ ચાલું કર્યો ત્યારથી બધાં વિદ્યાર્થીઓનાં મોંઢે થી સાંભળતો કે મારે આ બીટ જોઇએ, પેલી બીટ જોઇએ અને એનાં માટે બીટ સ્પેશિયાલિસ્ટ અનુભવી પત્રકારો પણ બીટ પ્રમાણે વિદ્યાર્થીઓનાં આદર્શ રહેતા હોય છે મતલબ કે એમનાં જેવી રીતે રિર્પોટિંગ કરવું, લખવું વગેરે.
પણ વાત જ્યારે ક્રાઇમ બીટ ની આવે ત્યારે બધાંના મોંએ નામ માત્ર એકજ હોય એ છે પ્રશાંત દયાળ, આ નામ એટલે ખૂબ મહેનત, ઝૂનુન અને ઘણી રઝળપાટ પછી મેળવેલો અનુભવ.

અભ્યાસ દરમ્યાન બહું ઓછો એવો સમય મળેલો જેમાં દાદા ને મળી શકાયું હોય, એમને મળવા માટે રીતસર રાહ જોયેલી છે કે ક્યારે કોઇ કાર્યક્રમ આવે કે મોકો જેમાં મળી શકાય, પણ નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, અમદાવાદ અને કિરણ કાપુરેના સહયોગથી આજે એક આખો લેક્ચર ભણવાં મળ્યો એ બદલ આભારી છું નવજીવન ટ્રસ્ટ કેમ્પસ અને સતત આવાં લેક્ચરમાં અમને 'આવો આપનું સ્વાગત છે' ને ખરાં અર્થમાં સાર્થક કરતાં કિરણ કાપુરે.

વાત ચાહે ક્રાઇમની હોય, પોલિટિક્સ ની હોય કે વર્તમાન મુદ્દાઓની "દાદા" જોડેથી જે શીખવા મળ્યું છે તે અવર્ણનીય છે, કેમ કે તેમનું વર્ણન લેખ માં હોય કે સમાચાર માં હોય કે રૂબરૂ હોય તેમની આગવી શૈલી એવી સરળ, સચોટ, અનુભવી અને તાર્કિક હોય છે ને કે દરેક સરળતાથી સમજી શકે ને એનો મર્મ વાગોળી શકે.
ખરાં અર્થ માં હું સમજી શકું છું કે કોઇપણ વાત ને કેટલી બાજુંએથી જોવી, સમજવી ને પછીજ આપણો મત કેળવવો એ પ્રશાંત દયાળ જોડે થી શીખવા મળ્યું છે.

કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કેમ કે હું એક વિદ્યાર્થી છું ને વિદ્યાર્થી જે જોવે છે, જે ભણે છે અને જે સમજે છે એજ એનાં લખાણમાં પ્રતિબિંબ થતું હોય છે.
મારું આ લખાણ પણ મારા અનુભવ ને મેં ભણેલા અભ્યાસનું સરવૈયું છે.

આજની મુલાકાત હંમેશાથી ખાસ અને અકલ્પનિય રહી બદલ ખાસ આભાર ચાહીશ નવજીવન ટ્રસ્ટ કેમ્પસ અને કિરણ કાપુરેજી નો.

-વિતાન પરમારનાં સંસ્મરણમાંથી





Popular posts from this blog

Water + Greenary + Soil + Sky = Nature

        Nature is the Gift of Mother Earth to all Humankind and other Living Organisms.  It constitutes Greenery, Soil, Air, Water and all Physical Factors that are the Pillars of Lives Living here. Nature is also called a Human Attribute in Behavioral Terminology. The natural Environment which is in Physical form is called Nature. - This Article Source          By  https://www.teachingbanyan.com/paragraph/paragraph-on-nature        Place : Dharoi Dam Site Delwada        Ta : Vadali        Dist : Sabarkantha         Photo Credit : Suraj

મળ્યાં પહેલા રાઝ, મળ્યા પછી હમરાઝ

      તસવીરમાં ડાબેથી મિત્ર હિમાંશુ ઉર્ફ 'હમરાઝ' પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન, ગૂજરાત વિદ્યાપીઠમાં ઓનલાઇન પ્રક્રિયાથી એડમિશન લીધેલાનું પ્રથમ સત્ર નવેમ્બર ૨૦૨૦. કોરોનાનો પ્રકોપ ચાલું. એટલે કોઇને મળવાનું પણ ના થયેલું, નાતો ગૂજરાત વિદ્યાપીઠ જવાનું થયેલું. પ્રથમ દિવસ અધ્યાપકો દ્વારા એકબીજાનાં નામ-ઠામને પરિચયમાં ગુજારવામાં આયો ત્યારે કોણ ક્યાંથી છે શું ભણેલા છે વગેરે વગેરે જાણેલું. પછી રોજિંદા અભ્યાસનાં ભાગરૂપે ઓનલાઇન અભ્યાસ કરવાનો થયો એમાં ગૂગલ મીટ એપ્સની લિંકથી જોડાઇને બધા વિદ્યાર્થીઓ એકસાથે ઓનલાઇન વર્ગ ભરતા હતા, એટલે એમાં બધાના ચહેરાનો પરિચય થયો ફોનનાં કેમેરાથી. પછી સમય જતાં બધાએ સાથે મળીને વિદ્યાર્થીઓનું એક વ્હૉટ્સએપ ગૃપ બનાવેલું જેમાં ભણવા સાથેની ચર્ચા કરવી એવો નિયમ અખત્યાર કરવામાં આવેલો પછી ફોન નંબરોની આપ-લે થઇ, આમાં પોતાના વિસ્તાર પ્રમાણે અને પોતાને ફાવે એવા વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો બનાવ્યા હશે જે સાધારણ વાત હતી. એ વખતે હિમાંશુ સાથે મારે કહેવાય કે કહેવા પૂરતો પણ સંપર્ક નહીં હોય. ભાગ્યેજ કોઇક વાર કંઇક પ્રશ્ન ઉદભવ્યો હોય તો મેસેજ કરીને વાત કરી હશે મેં, પછી ...

કવિ, વિવેચક - દલપત પઢિયાર

ગુજરાતી ભાષાના જાણીતા કવિ, વિવેચક શ્રી દલપત પઢિયાર સ્થળ નવજીવન ટ્રસ્ટ કૅમ્પસ ખાતે કાવ્યગોષ્ઠી કાર્યક્રમ યોજાઇ ગયો, જેમાં તેમના સંસ્મરણો, કાવ્ય રચનાઓ તથા સાહિત્યીક સફરની વાતો તેમના જ મુખેથી સાંભળીને આનંદ થયો. ખાસ વાત પ્રાથમિક શિક્ષણમાં એક પાઠ આવતો જે વિદ્યાર્થીઓમાં અતિ પ્રખ્યાત હતો એ "છોગાળા તો છોડો" જે એમના મુખેથી સાંભળીને ખરેખર વિસ્મયતા પામી કે આ વાત અત્યાર સુધી અજાણ હતી મારા માટે, અલબત્ત એજ લેખકનાં મોંઢેથી સાંભળીને મારો તો કાર્યક્રમ સફળ થઇ ગયો. અવારનવાર આવા કાર્યક્રમો ગોઠવતા નવજીવન ટ્રસ્ટના આભાર સાથે વિરમું છું. - વિતાન પરમાર