Skip to main content

પ્રશાંત દયાળ "દાદા" સાથે.....💐💐




નામ એમનું પ્રશાંત દયાળ. આ નામથી ગુજરાત પત્રકારત્વ આલમમાં ભાગ્યેજ કોઇક અજાણ્યું હશે. 
જી હા, ક્રાઇમ રિર્પોટિંગ માં જેમનો જોટો જડવો મુશ્કેલ છે એવાં પ્રશાંત દયાળ જેમને પરિચિતો ને મિત્ર વર્તુળમાં બધાં "દાદા" નાં હુલામણા નામથી ઓળખે છે. 
એવું વ્યક્તિત્વ જેનાં મોંઢા પર સદાય સ્મિત રમતું રહેતું હોય, જેમનો આગવો સ્વભાવ જોઇએ તો ફક્કડ ને તડફડ.

ખુશમિજાજી અને અલ્લડ પણ ખરાં જ. ઇન્વેસ્ટીગેટીવ પત્રકારત્વ જેમાં ઘણી ખણખોદ, રખડપટ્ટી ને અંતે જે સમાચાર બને એમાં જ એમને મજા આવે. મૂળ પત્રકાર પણ કામ જોવા જઇએ તો વિજ્ઞાન જેવું કે જે અંત એટલે કે વાતનાં મૂળ સુધી પહોંચીને જ રહે.
પત્રકાર તરીકે જેમણે બોલપેન ને ડાયરી ને સદાય અળગી રાખી ને તો પણ હાલ એમનાં જેવું કામ ખાસ કોઇ નથી કરી શકતું.

જ્યારથી પત્રકારત્વનો અભ્યાસ ચાલું કર્યો ત્યારથી બધાં વિદ્યાર્થીઓનાં મોંઢે થી સાંભળતો કે મારે આ બીટ જોઇએ, પેલી બીટ જોઇએ અને એનાં માટે બીટ સ્પેશિયાલિસ્ટ અનુભવી પત્રકારો પણ બીટ પ્રમાણે વિદ્યાર્થીઓનાં આદર્શ રહેતા હોય છે મતલબ કે એમનાં જેવી રીતે રિર્પોટિંગ કરવું, લખવું વગેરે.
પણ વાત જ્યારે ક્રાઇમ બીટ ની આવે ત્યારે બધાંના મોંએ નામ માત્ર એકજ હોય એ છે પ્રશાંત દયાળ, આ નામ એટલે ખૂબ મહેનત, ઝૂનુન અને ઘણી રઝળપાટ પછી મેળવેલો અનુભવ.

અભ્યાસ દરમ્યાન બહું ઓછો એવો સમય મળેલો જેમાં દાદા ને મળી શકાયું હોય, એમને મળવા માટે રીતસર રાહ જોયેલી છે કે ક્યારે કોઇ કાર્યક્રમ આવે કે મોકો જેમાં મળી શકાય, પણ નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, અમદાવાદ અને કિરણ કાપુરેના સહયોગથી આજે એક આખો લેક્ચર ભણવાં મળ્યો એ બદલ આભારી છું નવજીવન ટ્રસ્ટ કેમ્પસ અને સતત આવાં લેક્ચરમાં અમને 'આવો આપનું સ્વાગત છે' ને ખરાં અર્થમાં સાર્થક કરતાં કિરણ કાપુરે.

વાત ચાહે ક્રાઇમની હોય, પોલિટિક્સ ની હોય કે વર્તમાન મુદ્દાઓની "દાદા" જોડેથી જે શીખવા મળ્યું છે તે અવર્ણનીય છે, કેમ કે તેમનું વર્ણન લેખ માં હોય કે સમાચાર માં હોય કે રૂબરૂ હોય તેમની આગવી શૈલી એવી સરળ, સચોટ, અનુભવી અને તાર્કિક હોય છે ને કે દરેક સરળતાથી સમજી શકે ને એનો મર્મ વાગોળી શકે.
ખરાં અર્થ માં હું સમજી શકું છું કે કોઇપણ વાત ને કેટલી બાજુંએથી જોવી, સમજવી ને પછીજ આપણો મત કેળવવો એ પ્રશાંત દયાળ જોડે થી શીખવા મળ્યું છે.

કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કેમ કે હું એક વિદ્યાર્થી છું ને વિદ્યાર્થી જે જોવે છે, જે ભણે છે અને જે સમજે છે એજ એનાં લખાણમાં પ્રતિબિંબ થતું હોય છે.
મારું આ લખાણ પણ મારા અનુભવ ને મેં ભણેલા અભ્યાસનું સરવૈયું છે.

આજની મુલાકાત હંમેશાથી ખાસ અને અકલ્પનિય રહી બદલ ખાસ આભાર ચાહીશ નવજીવન ટ્રસ્ટ કેમ્પસ અને કિરણ કાપુરેજી નો.

-વિતાન પરમારનાં સંસ્મરણમાંથી





Popular posts from this blog

Always Evergreen Songs

https://youtu.be/Wv-VlQMD0VY https://youtu.be/BV0-rrdPJKw https://youtu.be/M0UycJQ24OQ https://youtu.be/wtfRQ76-I7k https://youtu.be/TFr6G5zveS8 https://youtu.be/Wl0zG3XxmeI https://youtu.be/QfPEA3V3YOI https://youtu.be/9GqF7HIijUI https://youtu.be/IB1gg-F0eZY https://youtu.be/5eyflIV8pzM https://youtu.be/l5ZSoNAXnVc https://youtu.be/UbrJ0QmAxiQ https://youtu.be/_YSFaujds7o https://youtu.be/r1fd3FAtT8E https://youtu.be/47qE1dlDIAg Source by - Youtube

'મરક મરક' હાસ્ય સર્જક રતિલાલ બોરીસાગર સાથે

ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર-હાસ્ય સર્જક રતિલાલ બોરીસાગર સાથે Navajivan Trust ખાતે માતૃવંદના કાર્યક્રમમાં મળવાનું થયું, માધ્યમિક શિક્ષણ દરમ્યાન જે લેખકની રચના પાઠ સ્વરૂપે ભણતાં આજે એમને રૂબરૂ મળવાનું થયું સાંભળવાનું થયું જે મારા માટે વિશેષ અનુભવ રહ્યો. બોરીસાગર સર્જક-લેખક તરીકે વિખ્યાત છે તેમ ઉત્તમ વક્તા તરીકે પણ વ્યાપક સ્વીકાર પામ્યા છે. મુલાકાતનો સિલસિલો રાબેતા મુજબ યથાવત. 'મરક મરક' 😊 'મોજમાં રેહવું રે'. -વિતાન પરમાર

One of The My Favorite Author 'Harkisan Mehta'

સમય - ફેબ્રુઆરી, ૨૦૧૧ મારી ૧૦માં ધોરણની બોર્ડની પરીક્ષાનો અતિ નજીકનો સમય, જે સમયે હું બીમાર હતો અને પરીક્ષાની તૈયારીનાં નામે મેં કહેવા પુરતી તૈયારી કરી હશે અને તૈયારી કરવાનો એક જાતનો કંટાળો પણ આવતો હતો. ફોનનો ઉદય થયેલો પણ ઇન્ટરનેટ ખપ પુરતું, અને ટિપિકલી ગુજરાતી વાલીઓની જેમ મને પણ ઓફર મળેલી કે ૧૦મું પાસ કરું અમુક ટકાથી તોજ કીપેડ રંગીન ફોન લાવી આપવામાં આવશે એટલે ફોન હતો નહી તો ઘરે ઇતર પ્રવૃત્તિમાં બસ ટીવી જોવું અને સમાચારપત્રો વાંચવા સિવાય ખાસ કામગીરી હતીજ નહી. પણ, મને વાંચવાનો શોખ વારસામાં મારા પપ્પા તરફથી મળેલો એટલે કલાક સુધી સમાચારપત્ર ને પુર્તિ વાંચી કાઢતો અને બીજું સામાન્યજ્ઞાન વિશેષાંક સાહિત્ય એ અલગ. મારા પપ્પા વાંચવાના રસિક એટલે હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટની નવલકથાઓ વાંચવા લાવતા એટલે અનાયાસે હું પણ કુતુહલવશ નવલકથામાંના પત્તાઓ ફેરવતો, જોતો. લેખક વિશેની માહિતી, નવલકથાની પ્રસ્તાવના વગેરે વાંચીને સંતોષ મેળવી લેતો કે મેં પણ નવલકથા વાંચી થોડીક. એવામાં, એક દિવસ ઘરે હરકિસન મહેતાની સત્ય ઘટના આધારિત નવલકથા "વેરનાં વળામણા" મારા પપ્પા લાવ્યા હતા એટલે મેં એ નવલકથા પ્રબુધ્ધ...