Skip to main content

વર્ષા અડાલજા સાથે મુલાકાત



ગતરોજ નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, અમદાવાદ ખાતે  સુપ્રસિધ્ધ નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર એવાં શ્રી વર્ષા અડાલજા લિખિત આત્મકથા 'પગલું માંડું હું અવકાશમાં' ના લોકાર્પણ સંદર્ભે જવાનું થયું જ્યાં મારી કેફિયત અંતર્ગત વર્ષા અડાલજાનાં મુખેથી એમની આત્મકથા કમ જીવનનાં સંસ્મરણો સાંભળવાનો અનેરો મોકો પ્રાપ્ત થયો, 
એમના મુખેથી એમની કેફિયત સાંભળીને ઘણી લાગણીઓ એકસાથે ઉમટી પડી હતી, 
એમાંની એક રોમાંચક લાગણી એ હતી કે પ્રખ્યાત લેખક શ્રી ગુણવંત આચાર્ય તેમના પિતાશ્રી હતા અને બીજી લાગણી એ હતી કે આજ ના દિવસે એમની આત્મકથા ના લોકાર્પણ દિવસે જ એમનો જન્મદિવસ પણ હતો.
આવા પ્રસિધ્ધ વ્યકિત્વ છતાં સરળતાથી ભારોભાર ભરેલા સ્વભાવનાં માલિકણ એવાં વર્ષાજી ને જન્મદિવસની મબલખ શુભેચ્છા 💐
આપને મળવાનો લ્હાવો પ્રાપ્ત થયો એના માટે આનંદ આભાર.

Popular posts from this blog

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 💐

                 ફોટો સૌજન્ય - રણમલ સિંધવ ૨૪, ઓગસ્ટ ૨૦૨૨ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કવિવર નર્મદની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતી ભાષાની આન, બાન અને શાન રૂપે ઉજવાય છે. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કવિ નર્મદે 'મારી હકીકત' લખી હતી. કવિ નર્મદને ગુજરાતી સાહિત્યમાં 'અર્વાચીનોમાં આદ્ય' તરીકે ઓળખવામાં આવે છે. મારા ગુજરાતી ભાષા અંગેના મત.... આજના સમયમાં ગુજરાતી ભાષાના મહત્વ અંગે જાત જાત ના લેખો જોવા મળે છે, ગુજરાતી ભાષાને અંગ્રેજી ભાષા કરતા ઓછું મહત્વ આપવામાં આવે છે પણ ભાષા કોઇ પણ હોય એનું અનેરુ મહત્વ હોય જ છે બસ સમજવાની જરૂર છે કે આપણે બધીજ ભાષાઓને સમાન મહત્વ આપવું ઘટે. વાત કરું ગુજરાતી ભાષાની તો મારી સૌથી ગમતી અને પ્રિય ભાષામાં ગુજરાતી છે, મને ક્યારેય એવું થયું નથી કે હું અંગ્રેજી શીખું કેમ કે મારે તો હજું ગુજરાતી ભાષાને સૌથી નજીકથી જોવાની ભણવાની પણ બાકી છે. મારી બોલી ગુજરાતી છે બાર ગાઉ બોલી બદલાય એમ ગુજરાતમાં પ્રદેશ બદલાય એમ ગુજરાતી ભાષાની બોલવાની ઢબ પણ બદલાય છે. હું સાબરકાંઠાથી આવું છું તો ત્યાંની બોલી તરત જ ઓળખાય જાય ક્યાંક ગયા હોઇએ ને ક...

at Media House

                  With Classmates..                         Me with WE..

સાહિત્ય જલસો

                            મારો વાંચનપ્રેમ