Skip to main content

Posts

મળ્યાં પહેલા રાઝ, મળ્યા પછી હમરાઝ

      તસવીરમાં ડાબેથી મિત્ર હિમાંશુ ઉર્ફ 'હમરાઝ' પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન, ગૂજરાત વિદ્યાપીઠમાં ઓનલાઇન પ્રક્રિયાથી એડમિશન લીધેલાનું પ્રથમ સત્ર નવેમ્બર ૨૦૨૦. કોરોનાનો પ્રકોપ ચાલું. એટલે કોઇને મળવાનું પણ ના થયેલું, નાતો ગૂજરાત વિદ્યાપીઠ જવાનું થયેલું. પ્રથમ દિવસ અધ્યાપકો દ્વારા એકબીજાનાં નામ-ઠામને પરિચયમાં ગુજારવામાં આયો ત્યારે કોણ ક્યાંથી છે શું ભણેલા છે વગેરે વગેરે જાણેલું. પછી રોજિંદા અભ્યાસનાં ભાગરૂપે ઓનલાઇન અભ્યાસ કરવાનો થયો એમાં ગૂગલ મીટ એપ્સની લિંકથી જોડાઇને બધા વિદ્યાર્થીઓ એકસાથે ઓનલાઇન વર્ગ ભરતા હતા, એટલે એમાં બધાના ચહેરાનો પરિચય થયો ફોનનાં કેમેરાથી. પછી સમય જતાં બધાએ સાથે મળીને વિદ્યાર્થીઓનું એક વ્હૉટ્સએપ ગૃપ બનાવેલું જેમાં ભણવા સાથેની ચર્ચા કરવી એવો નિયમ અખત્યાર કરવામાં આવેલો પછી ફોન નંબરોની આપ-લે થઇ, આમાં પોતાના વિસ્તાર પ્રમાણે અને પોતાને ફાવે એવા વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો બનાવ્યા હશે જે સાધારણ વાત હતી. એ વખતે હિમાંશુ સાથે મારે કહેવાય કે કહેવા પૂરતો પણ સંપર્ક નહીં હોય. ભાગ્યેજ કોઇક વાર કંઇક પ્રશ્ન ઉદભવ્યો હોય તો મેસેજ કરીને વાત કરી હશે મેં, પછી ...
Recent posts

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 💐

                 ફોટો સૌજન્ય - રણમલ સિંધવ ૨૪, ઓગસ્ટ ૨૦૨૨ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કવિવર નર્મદની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતી ભાષાની આન, બાન અને શાન રૂપે ઉજવાય છે. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કવિ નર્મદે 'મારી હકીકત' લખી હતી. કવિ નર્મદને ગુજરાતી સાહિત્યમાં 'અર્વાચીનોમાં આદ્ય' તરીકે ઓળખવામાં આવે છે. મારા ગુજરાતી ભાષા અંગેના મત.... આજના સમયમાં ગુજરાતી ભાષાના મહત્વ અંગે જાત જાત ના લેખો જોવા મળે છે, ગુજરાતી ભાષાને અંગ્રેજી ભાષા કરતા ઓછું મહત્વ આપવામાં આવે છે પણ ભાષા કોઇ પણ હોય એનું અનેરુ મહત્વ હોય જ છે બસ સમજવાની જરૂર છે કે આપણે બધીજ ભાષાઓને સમાન મહત્વ આપવું ઘટે. વાત કરું ગુજરાતી ભાષાની તો મારી સૌથી ગમતી અને પ્રિય ભાષામાં ગુજરાતી છે, મને ક્યારેય એવું થયું નથી કે હું અંગ્રેજી શીખું કેમ કે મારે તો હજું ગુજરાતી ભાષાને સૌથી નજીકથી જોવાની ભણવાની પણ બાકી છે. મારી બોલી ગુજરાતી છે બાર ગાઉ બોલી બદલાય એમ ગુજરાતમાં પ્રદેશ બદલાય એમ ગુજરાતી ભાષાની બોલવાની ઢબ પણ બદલાય છે. હું સાબરકાંઠાથી આવું છું તો ત્યાંની બોલી તરત જ ઓળખાય જાય ક્યાંક ગયા હોઇએ ને ક...

Great Indian Lyricist - Sameer Anjan

         Photo - google.com/india.com સમીર અંજાન નામથી પરિચિત ઘણાં નહી હોય પણ એમના લખેલા ગીતો જો ના સાંભળ્યા હોય એવાં લોકો બહુંજ ઓછા મળશે. પોતાની કારર્કિદી દરમ્યાન ૬૫૦ થી વધારે ફિલ્મોમાં ૪૦૦૦ ઉપરાંત ગીતો લખીને એમણે ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે, આવા ગીતકાર વિશે થોડીક વાતો જાણવા જેવી. ૧૯૮૩ થી પોતાની કારર્કિદીની શરૂઆત કરનાર સમીરજી ને આમ તો મૂળ ઓળખ ૧૯૯૦માં આવેલી આશિકી ફિલ્મથી મળી, આ ફિલ્મ બોક્સઓફિસ પર તો તગડી સાબિત થઇ સાથે સાથે આ ફિલ્મનાં ગીતોએ એ સમયે જબ્બરદસ્ત જાદૂ ફેલાવેલો જે આજદિન સુધી એટલે કે ૩૧ વર્ષ પછી પણ ઓસર્યો નથી. આ ફિલ્મનાં ગીતોએ ગીતકાર, સંગીતકાર, અભિનેતા અને ગાયક કલાકાર માટે માઇલસ્ટોન સાબિત થયેલા. તથા કોઇ આલ્બમમાંથી ફિલ્મ બની હોય એવી પણ પ્રથમ ફિલ્મ આશિકી છે. એક વાત છે સમીરજીમાં કે એમણે લખેલા ગીતો એમણે જે રીતે લખ્યા છે એ જોતાં મને એવું લાગે કે આવું લખતા એનો વિચાર કંઇ રીતે પ્રગટ થતો હશે, ગાયક કલાકાર પોતાનો અવાજ આપે છે એ સાચું પણ જેને ગીત લખ્યું છે એમને આવું ગીત લખવાનો વિચાર, શબ્દો તથા લાઇન લખે છે એ ખરેખર જાદુઇ છે જ. ૧૯૯૦ થી એમની સફર...

કવિ, વિવેચક - દલપત પઢિયાર

ગુજરાતી ભાષાના જાણીતા કવિ, વિવેચક શ્રી દલપત પઢિયાર સ્થળ નવજીવન ટ્રસ્ટ કૅમ્પસ ખાતે કાવ્યગોષ્ઠી કાર્યક્રમ યોજાઇ ગયો, જેમાં તેમના સંસ્મરણો, કાવ્ય રચનાઓ તથા સાહિત્યીક સફરની વાતો તેમના જ મુખેથી સાંભળીને આનંદ થયો. ખાસ વાત પ્રાથમિક શિક્ષણમાં એક પાઠ આવતો જે વિદ્યાર્થીઓમાં અતિ પ્રખ્યાત હતો એ "છોગાળા તો છોડો" જે એમના મુખેથી સાંભળીને ખરેખર વિસ્મયતા પામી કે આ વાત અત્યાર સુધી અજાણ હતી મારા માટે, અલબત્ત એજ લેખકનાં મોંઢેથી સાંભળીને મારો તો કાર્યક્રમ સફળ થઇ ગયો. અવારનવાર આવા કાર્યક્રમો ગોઠવતા નવજીવન ટ્રસ્ટના આભાર સાથે વિરમું છું. - વિતાન પરમાર  

હરકિસન મહેતા સ્મરણાંક....

                      હરકિસન મહેતા                       સર્જન-વિસર્જન       જગ્ગા ડાકુની છબી જેના પરની નવલકથા બહું                વાંચેલી એમને ખરી રીતે જોવાનો અવસર..     એક સમયનો ખૂંખાર અને રાડ પડાવનાર જગ્ગા ડાકુ                          સાથે હરકિસન મહેતા...    હરકિસન મહેતા સાથે હળવાશની પળોમાં વિનોદમયી                વિનોદ અને બીજાં મહાનુભાવો.. છબી- હરકિસન મહેતા સર્જન-વિસર્જન (પુસ્તક)                   સંપાદન સૌરભ શાહ દ્વારા અર્પણ..

Always Evergreen Songs

https://youtu.be/Wv-VlQMD0VY https://youtu.be/BV0-rrdPJKw https://youtu.be/M0UycJQ24OQ https://youtu.be/wtfRQ76-I7k https://youtu.be/TFr6G5zveS8 https://youtu.be/Wl0zG3XxmeI https://youtu.be/QfPEA3V3YOI https://youtu.be/9GqF7HIijUI https://youtu.be/IB1gg-F0eZY https://youtu.be/5eyflIV8pzM https://youtu.be/l5ZSoNAXnVc https://youtu.be/UbrJ0QmAxiQ https://youtu.be/_YSFaujds7o https://youtu.be/r1fd3FAtT8E https://youtu.be/47qE1dlDIAg Source by - Youtube

One of The My Favorite Author 'Harkisan Mehta'

સમય - ફેબ્રુઆરી, ૨૦૧૧ મારી ૧૦માં ધોરણની બોર્ડની પરીક્ષાનો અતિ નજીકનો સમય, જે સમયે હું બીમાર હતો અને પરીક્ષાની તૈયારીનાં નામે મેં કહેવા પુરતી તૈયારી કરી હશે અને તૈયારી કરવાનો એક જાતનો કંટાળો પણ આવતો હતો. ફોનનો ઉદય થયેલો પણ ઇન્ટરનેટ ખપ પુરતું, અને ટિપિકલી ગુજરાતી વાલીઓની જેમ મને પણ ઓફર મળેલી કે ૧૦મું પાસ કરું અમુક ટકાથી તોજ કીપેડ રંગીન ફોન લાવી આપવામાં આવશે એટલે ફોન હતો નહી તો ઘરે ઇતર પ્રવૃત્તિમાં બસ ટીવી જોવું અને સમાચારપત્રો વાંચવા સિવાય ખાસ કામગીરી હતીજ નહી. પણ, મને વાંચવાનો શોખ વારસામાં મારા પપ્પા તરફથી મળેલો એટલે કલાક સુધી સમાચારપત્ર ને પુર્તિ વાંચી કાઢતો અને બીજું સામાન્યજ્ઞાન વિશેષાંક સાહિત્ય એ અલગ. મારા પપ્પા વાંચવાના રસિક એટલે હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટની નવલકથાઓ વાંચવા લાવતા એટલે અનાયાસે હું પણ કુતુહલવશ નવલકથામાંના પત્તાઓ ફેરવતો, જોતો. લેખક વિશેની માહિતી, નવલકથાની પ્રસ્તાવના વગેરે વાંચીને સંતોષ મેળવી લેતો કે મેં પણ નવલકથા વાંચી થોડીક. એવામાં, એક દિવસ ઘરે હરકિસન મહેતાની સત્ય ઘટના આધારિત નવલકથા "વેરનાં વળામણા" મારા પપ્પા લાવ્યા હતા એટલે મેં એ નવલકથા પ્રબુધ્ધ...