Skip to main content

One of The My Favorite Author 'Harkisan Mehta'



સમય - ફેબ્રુઆરી, ૨૦૧૧
મારી ૧૦માં ધોરણની બોર્ડની પરીક્ષાનો અતિ નજીકનો સમય, જે સમયે હું બીમાર હતો અને પરીક્ષાની તૈયારીનાં નામે મેં કહેવા પુરતી તૈયારી કરી હશે અને તૈયારી કરવાનો એક જાતનો કંટાળો પણ આવતો હતો.
ફોનનો ઉદય થયેલો પણ ઇન્ટરનેટ ખપ પુરતું, અને ટિપિકલી ગુજરાતી વાલીઓની જેમ મને પણ ઓફર મળેલી કે ૧૦મું પાસ કરું અમુક ટકાથી તોજ કીપેડ રંગીન ફોન લાવી આપવામાં આવશે એટલે ફોન હતો નહી તો ઘરે ઇતર પ્રવૃત્તિમાં બસ ટીવી જોવું અને સમાચારપત્રો વાંચવા સિવાય ખાસ કામગીરી હતીજ નહી.
પણ, મને વાંચવાનો શોખ વારસામાં મારા પપ્પા તરફથી મળેલો એટલે કલાક સુધી સમાચારપત્ર ને પુર્તિ વાંચી કાઢતો અને બીજું સામાન્યજ્ઞાન વિશેષાંક સાહિત્ય એ અલગ.
મારા પપ્પા વાંચવાના રસિક એટલે હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટની નવલકથાઓ વાંચવા લાવતા એટલે અનાયાસે હું પણ કુતુહલવશ નવલકથામાંના પત્તાઓ ફેરવતો, જોતો.
લેખક વિશેની માહિતી, નવલકથાની પ્રસ્તાવના વગેરે વાંચીને સંતોષ મેળવી લેતો કે મેં પણ નવલકથા વાંચી થોડીક.
એવામાં, એક દિવસ ઘરે હરકિસન મહેતાની સત્ય ઘટના આધારિત નવલકથા "વેરનાં વળામણા" મારા પપ્પા લાવ્યા હતા એટલે મેં એ નવલકથા પ્રબુધ્ધ વાચક હોઉં એમ પત્તા ઉથલાવીને થોડીક વાંચી, પણ આતો લખાણ હરકિસન મહેતાનું હતું, એ સમયે ખયાલ નહોતો પણ મને લાગ્યું આ નવલકથામાઅં એવું તો એક તત્વ, ખેંચાણ છે જે મને સતત વાંચવા તરફ દોરે છે જે મને જકડી રાખે છે વાંચવા.
પછી મેં પરીક્ષાની તૈયારી મુકી બાજુમાં અને ચાલુ કરી નવલકથા વાંચવાની, પ્રથમ ભાગ થોડોક વાંચ્યો હશે ત્યાં મારૂ મન કહેવા લાગ્યું કે આ જેવી-તેવી નવલકથા નથી જ. આને પુરી કર્યે જ છુટકો.
હું જેમ-જેમ વાંચતો ગયો મને લખાણશૈલી, શબ્દો, પક્કડ, રહસ્ય, યાતના, ખુન્નસ, ખુમારી, આઝાદી પૂર્વેનો સમય, અસ્સલ પંજાબી ગભરુનો ઠસ્સો, બહારવટિયાની હિંમત, વટ, વચન અને વેર આ બધાંજ ભાવો આંખપટલ સમક્ષ એક ચાલતી-બોલતી ફિલ્મની જેમ તરવરવા લાગ્યા, મને લાગ્યું આ નવલકથા એક નવલકથા કરતાં એક ડાકુ નહી પણ માણસની આબેહૂબ નકલ એક ફિલ્મની જેમ પુસ્તકમાં ઉતારી છે લેખકે.
બસ પછી ગર્વભેર મેં પુરા ત્રણ ભાગ એકસામટા વાંચી નાંખેલા પરીક્ષાની જરાય ચિંતા કર્યા વગર એક મહિનામાં.
આટલું ઝીણવટભર્યું, ઉમદા અને બારીકાઇભર્યું લખાણ મેં જીંદગીમાં પ્રથમ વાર વાંચ્યું હતું, બસ પછી દર વર્ષે અચૂક આ નવલકથા હું ખાસ મારા પપ્પા જોડે વાંચવા મંગાવતો અને ત્રણેય ભાગ જાણે પ્રિયતમા સાથે પ્રથમ મુલાકાત હોય એમ એટલાજ રોમાંચ, ઉલ્લાસથી હરખભેર વાંચતો.
કુલ ૨૦ વાર ઉપરાંત મેં આ નવલકથા વાંચી હજું પણ નવપરણિત યુગલની જેમ મને આ નવલકથા વાંચવી એટલીજ રોમાંચક લાગે છે.
કંટાળા નામનો શબ્દ આ નવલકથા આગળ પાંગળો સાબિત થાય છે.
પછી હાં પરીક્ષામાં એટલો વાંધો નહોતો આવ્યો, આ નવલકથા વાંચવાથી તદપરાંત હું સારા ગ્રેડથી પાસ પણ થયેલો જી હાં.
કોઇજ જાતની અતિશયોક્તિ વગર એટલું જરૂર કહીશ કે જેણે પણ વાંચવાનો જરા સરખો પણ રસ હોય એમણે આ નવલકથા અચૂકપણે ખાસ વાંચવી જ જોઇએ, પછી પ્રત્યુત્તર પાઠવશો.
વર્ષ ૨૦૨૨ માં મેં આ નવલકથા ૨૦મી વાર વાંચી એનો આનંદ.
સાહિત્યપ્રેમીઓમાં એકાદ લેખકની છબી તો એવી હોય છે જેમ પૃથ્વી પર એક સૂરજ છે એક ચંદ્ર છે એમ મારા માટે સાહિત્યમાં લેખક એટલે હરકિસન મહેતા.
અસ્તુ.


લિ. - વિતાન પરમાર


Popular posts from this blog

Water + Greenary + Soil + Sky = Nature

        Nature is the Gift of Mother Earth to all Humankind and other Living Organisms.  It constitutes Greenery, Soil, Air, Water and all Physical Factors that are the Pillars of Lives Living here. Nature is also called a Human Attribute in Behavioral Terminology. The natural Environment which is in Physical form is called Nature. - This Article Source          By  https://www.teachingbanyan.com/paragraph/paragraph-on-nature        Place : Dharoi Dam Site Delwada        Ta : Vadali        Dist : Sabarkantha         Photo Credit : Suraj

મળ્યાં પહેલા રાઝ, મળ્યા પછી હમરાઝ

      તસવીરમાં ડાબેથી મિત્ર હિમાંશુ ઉર્ફ 'હમરાઝ' પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન, ગૂજરાત વિદ્યાપીઠમાં ઓનલાઇન પ્રક્રિયાથી એડમિશન લીધેલાનું પ્રથમ સત્ર નવેમ્બર ૨૦૨૦. કોરોનાનો પ્રકોપ ચાલું. એટલે કોઇને મળવાનું પણ ના થયેલું, નાતો ગૂજરાત વિદ્યાપીઠ જવાનું થયેલું. પ્રથમ દિવસ અધ્યાપકો દ્વારા એકબીજાનાં નામ-ઠામને પરિચયમાં ગુજારવામાં આયો ત્યારે કોણ ક્યાંથી છે શું ભણેલા છે વગેરે વગેરે જાણેલું. પછી રોજિંદા અભ્યાસનાં ભાગરૂપે ઓનલાઇન અભ્યાસ કરવાનો થયો એમાં ગૂગલ મીટ એપ્સની લિંકથી જોડાઇને બધા વિદ્યાર્થીઓ એકસાથે ઓનલાઇન વર્ગ ભરતા હતા, એટલે એમાં બધાના ચહેરાનો પરિચય થયો ફોનનાં કેમેરાથી. પછી સમય જતાં બધાએ સાથે મળીને વિદ્યાર્થીઓનું એક વ્હૉટ્સએપ ગૃપ બનાવેલું જેમાં ભણવા સાથેની ચર્ચા કરવી એવો નિયમ અખત્યાર કરવામાં આવેલો પછી ફોન નંબરોની આપ-લે થઇ, આમાં પોતાના વિસ્તાર પ્રમાણે અને પોતાને ફાવે એવા વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો બનાવ્યા હશે જે સાધારણ વાત હતી. એ વખતે હિમાંશુ સાથે મારે કહેવાય કે કહેવા પૂરતો પણ સંપર્ક નહીં હોય. ભાગ્યેજ કોઇક વાર કંઇક પ્રશ્ન ઉદભવ્યો હોય તો મેસેજ કરીને વાત કરી હશે મેં, પછી ...

કવિ, વિવેચક - દલપત પઢિયાર

ગુજરાતી ભાષાના જાણીતા કવિ, વિવેચક શ્રી દલપત પઢિયાર સ્થળ નવજીવન ટ્રસ્ટ કૅમ્પસ ખાતે કાવ્યગોષ્ઠી કાર્યક્રમ યોજાઇ ગયો, જેમાં તેમના સંસ્મરણો, કાવ્ય રચનાઓ તથા સાહિત્યીક સફરની વાતો તેમના જ મુખેથી સાંભળીને આનંદ થયો. ખાસ વાત પ્રાથમિક શિક્ષણમાં એક પાઠ આવતો જે વિદ્યાર્થીઓમાં અતિ પ્રખ્યાત હતો એ "છોગાળા તો છોડો" જે એમના મુખેથી સાંભળીને ખરેખર વિસ્મયતા પામી કે આ વાત અત્યાર સુધી અજાણ હતી મારા માટે, અલબત્ત એજ લેખકનાં મોંઢેથી સાંભળીને મારો તો કાર્યક્રમ સફળ થઇ ગયો. અવારનવાર આવા કાર્યક્રમો ગોઠવતા નવજીવન ટ્રસ્ટના આભાર સાથે વિરમું છું. - વિતાન પરમાર